Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 69 of 103
PDF/HTML Page 81 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૬૯
અમને પણ દર્શાવો. જ્યારે અમને અસ્તિત્વનો સાચો નિશ્ચય
થઈ જશે ત્યારે અમે શા માટે પરસંબંધિજ્ઞાપકાનુપલંભ નામના
હેતુને સાચો માનીશું? એ તો સહજ જ પોતાની મેળે જૂઠ થઈ
જશે.’ ત્યારે તેને કહીએ છીએ કેઃ
જો તમને સર્વજ્ઞના
અસ્તિત્વનો નિશ્ચય કરવાની અભિલાષા છે, તો તમને જે
અપ્રમાણનાં ચશ્મા લાગી રહ્યાં છે તેને ઉતારીને પ્રમાણનાં ચશ્મા
લગાવો; કારણ કે
અપ્રમાણજ્ઞાનમાં વસ્તુનો સાચો નિર્ણય
સર્વથા થાય જ નહિ પણ પ્રમાણજ્ઞાનથી જ યથાર્થનિર્ણય થવો
કહ્યો છે, શાસ્ત્રમાં એ જ કહ્યું છે કેઃ
‘प्रमाणादिष्टसंसिद्धिरन्यथातिप्रसंगतः
(પ્રમાણપરીક્ષા પાનું૬૩)
અર્થાત્પ્રમાણથી જ પોતાના ઇષ્ટની ભલા પ્રકારથી
સિદ્ધિ થાય છે. તથા જો એમ ન માનીએ તો પ્રમાણ અને
અપ્રમાણનો વિભાગ ન રહે અને તેથી સર્વને ઇષ્ટની સાચી
સિદ્ધિ થવાથી અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) નામનો દોષ આવે,
માટે વસ્તુની સાચી સિદ્ધિ પ્રમાણથી જ થવી માની અપ્રમાણનાં
ચશ્મા દૂર કરવા યોગ્ય છે. ત્યારે તેણે કહ્યું કે
મને
અપ્રમાણજ્ઞાનનું સ્વરૂપ બતાવો કે જેને જાણીને હું દૂર કરું!
ત્યારે તેને ઉત્તર આપીએ છીએ કે
અર્થ :પ્રમાણથી જ ઇષ્ટની ભલા પ્રકારે સિદ્ધિ થાય છે.
બીજી રીતે અનિષ્ટની પણ સિદ્ધિ થવાથી અતિપ્રસંગે દોષ
આવશે.