Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 75 of 103
PDF/HTML Page 87 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૫
આગમપ્રમાણમાં તો સર્વજ્ઞવચનના આશ્રયથી વસ્તુનું સ્વરૂપ
જાણી લેવાનું હોય છે. પણ જિનમતમાં તો આવી આમ્નાય
નથી, જિનમતમાં તો આ આમ્નાય છે કે
વસ્તુનાં નામાદિક અને
લક્ષણાદિક તો આગમના શ્રવણ દ્વારા જ જાણે પછી
મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત
આગમપદાર્થાદિક તેના
સ્વરૂપને તો આગમથી જ સાંભળી પ્રતીતિમાં લાવે, તેનું તો
પ્રત્યક્ષ
અનુમાન દ્વારા નિર્ણયથી ‘આગમમાં લખ્યું છે’ એ સાચું
માનવું. હવે મૂળ પ્રયોજનભૂત રકમ જે અર્હંતસર્વજ્ઞ તેને (માત્ર)
આગમના સાંભળવાથી જ પ્રતીતિમાં લાવી જે સંતોષ માની લે
છે. તે પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે
અર્હંત
સર્વજ્ઞનો નિશ્ચય થવામાં (માત્ર) આગમપ્રમાણનો અધિકાર
નથી. કહ્યું છે કેઃ
प्रत्यक्षानुमानागमैः परीक्षणमत्र विचारः
(શ્લોકવાર્તિક પાનું૮ લીટી ૧૩.)
અર્થઃપ્રત્યક્ષઅનુમાનના આશ્રય સહિત આગમમાં
લખેલી પ્રયોજનભૂત રકમની પરીક્ષા કરવી તેનું નામ વિચાર
છે. જે સર્વજ્ઞનું સ્વરૂપ છે તે તો મૂળ પ્રયોજનભૂત રકમ છે,
માટે પરીક્ષા કર્યા સિવાય કેવલ આગમના આશ્રયથી જ તેની
પ્રતીતિ કરતાં નિયમથી પ્રયોજનની સિદ્ધિ થાય નહિ. માટે જો
સર્વજ્ઞદેવનો નિશ્ચય કરવો છે તો પહેલાં તેનાં નામ
લક્ષણાદિક
અર્થ :પ્રત્યક્ષ અનુમાન અને આગમ વડે પરીક્ષા કરવી, તેનું
નામ અત્રે વિચાર કહ્યો છે.