Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 78 of 103
PDF/HTML Page 90 of 115

 

background image
૭૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
૫. સાધ્યની પછી થવાવાળા હેતુને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો; જેમ કેરોહિણીનો ઉદય દેખી કૃતિકાનક્ષત્ર થઈ ગયાનો
નિશ્ચય કરવો, તે ઉત્તરહેતુ છે.
૬. જે સાધ્યની સાથેસાથે હોય તેને દેખી સાધ્યનો નિશ્ચય
કરવો, જેમ કેપ્રકાશને દેખી સૂર્યના ઉદયનો નિશ્ચય કરવો, તે
સહચરહેતુ છે.
૭. કર્તાના સાધનથી સાધ્યભૂતકાર્યનો નિશ્ચય કરવો; જેમ
કેવગર ચાખ્યે લાડુના સારાપણાનો હલવાઈના નામથી નિશ્ચય
કરવો કે આ લાડુ ફલાણા કંદોઈના બનાવેલા છે માટે સારા
છે, તે કર્તારૂપહેતુ છે.
૮. કાર્યરૂપહેતુના સાધન વડે કર્તારૂપ સાધ્યનો નિશ્ચય
કરવો; જેમ કેસારા કપડાના તાકાને જોઈ તેને વણવાવાળા
કારીગરનો નિશ્ચય કરવો, તે કાર્યરૂપહેતુ છે.
૯. કરણના સાધન વડે તે દ્વારા થવાવાળા કાર્યરૂપ
સાધ્યનો નિશ્ચય કરવો; જેમ કેકોઈના બૂરા ભાવો જોઈને એમ
કહેવું કે ‘આ પુરુષ નર્કમાં જશે’, તે કરણરૂપહેતુ છે.
૧૦. સંપ્રદાનસાધન વડે નિશ્ચય કરવો તે સંપ્રદાનરૂપહેતુ
છે જેમ રસોઈ બનાવવાવાળા રસોઈયાને પૂછવું કેઆ રસોઈ
કોના માટે કઈ ક્રિયાથી બનાવો છો? ત્યારે તેણે કોઈ ક્રિયાને
બતાવી, તેથી આમ નિશ્ચય થવો કે
આ રસોઈ ઉજ્જ્વલતાથી
બની છે, તેનું નામ સંપ્રદાનહેતુ છે.