Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 79 of 103
PDF/HTML Page 91 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૭૯
૧૧. અપાદાનને સાધન કરી સાધ્યનો નિશ્ચય કરવો;
જેમ કેકોઈ લડાઈ કરીને ઘરે જતો હતો તેને દેખી નિશ્ચય
કરવો કે આ ઘરે જઈને લડશે, તેને અપાદાનરૂપહેતુ કહે છે.
૧૨. આધારને આધેયનો નિશ્ચય કરવો, જેમ કેકોઈ
સારા ખેતરનું નામ સાંભળી તેમાં ઉત્પન્ન થવાવાળા ચોખાના
સારાપણાનો નિશ્ચય કરવો, ઇત્યાદિ તે આધારરૂપ સાધન છે.
૧૩. સંબંધને સાધન કરી નિશ્ચય કરવો તે સંબંધરૂપ
સાધન છે; જેમકેખરાબ સંબંધ દ્વારા એવો નિશ્ચય કરવો કે
‘આ વસ્તુ ખાવા યોગ્ય નથી, વા આ પુરુષને ખરાબ મનુષ્યોનો
સંબંધ છે, તેથી આ વ્યસની છે’ ઇત્યાદિ સંબંધ સાધન છે.
૧૪. કાર્યની પ્રારંભરૂપ ક્રિયા દ્વારા કાર્યના ભલાપણા કે
બૂરાપણાનો નિશ્ચય કરવો; જેમ કે વીણા આદિની વાગવારૂપ
ક્રિયાથી ગાવારૂપકાર્યનો નિશ્ચય કરવો, તે ક્રિયારૂપ સાધન છે.
૧૫. સ્વામિરૂપ સાધન વડે વસ્તુનો નિર્ણય કરવો; જેમ
કેમુનિરાજને જોકે ભોજનના શુદ્ધઅશુદ્ધપણાનો નિશ્ચય નથી
આવ્યો તો પણ જૈનીશ્રાવકનું ઘર ઓળખી શ્રાવકના ઘરે આહાર
કરે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે
ભોજનની શુદ્ધતાનો નિર્ણય
કર્યા સિવાય મુનિ આહાર કેવી રીતે કરે? તેના ઉત્તરદાન
દેનાર જૈની છે. હવે જેને જિનદેવનો નિશ્ચય છે તથા જિનદેવ
જ જેના સ્વામિ છે, તેને ત્યાં આહાર અશુદ્ધ ન હોય. એ પ્રમાણે
સ્વામિરૂપ સાધન છે.