અનુમાનપ્રમાણ છે. આ અનુમાનપ્રમાણના સ્વાર્થાનુમાન તથા
પરાર્થાનુમાનરૂપ બે ભેદ છે. ત્યાં પ્રમાણના અનુમાનરૂપ
પરિણમેલા જ્ઞાનનું નામ સ્વાર્થાનુમાન છે, તેનાં ત્રણ અંગ છે
સ્વાર્થાનુમાન થાય છે. ત્યાં જે વસ્તુમાં સાધ્યપણું હોય તેને ધર્મી
કહે છે અને તે પ્રસિદ્ધ જ છે. વળી શક્ય, અભિપ્રેત અને
અપ્રસિદ્ધ એવા ત્રણ લક્ષણોને ધારણ કર્યા હોય તે સાધ્ય છે.
જે પ્રમાણતાનો નિર્ણય થવા યોગ્ય હોય તે શક્ય છે, જે
પ્રમાતાને ઇષ્ટ હોય તથા પ્રમાતાનો અંતરંગઅભિપ્રાય લગાવી
નિર્ણય કરવા યોગ્ય હોય તે અભિપ્રેત છે, તથા જે પ્રગટ ન
હોય તે અપ્રસિદ્ધ છે. એ પ્રમાણે ત્રણ લક્ષણ જેમાં હોય તે
સાધ્ય છે. જેનાથી સાધ્યનું જ્ઞાન થાય અને અન્ય પ્રકારથી ન
થાય તે સાધન છે. ત્યાં પોતાના જ્ઞાનમાં સાધનના બળથી
ધર્મીમાં સાધ્યનો નિશ્ચય કરવો તે સ્વાર્થાનુમાન છે, તથા અન્યને
પોતાના વચન દ્વારા અનુમાનનું સ્વરૂપ કહેવું વા અનુમાન વડે
સિદ્ધ કરવા યોગ્ય વાક્ય અન્યને કહેવું, તે પરાર્થાનુમાન છે.
પ્રતિજ્ઞા છે. જેમ કે