Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 85 of 103
PDF/HTML Page 97 of 115

 

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૫
અર્થઃજેની સંજ્ઞારૂપ પ્રતિષેધની વાક્યરૂપ સંજ્ઞા
કહેવામાં આવે તે વાક્ય કથંચિત્ સદ્ભાવરૂપ જે સંજ્ઞાનો સ્વામી
પ્રતિષેધ્યપદાર્થ, તેના આશ્રય વિના પ્રવર્તે નહિ. તેથી જે વસ્તુ
કથંચિત્ અસ્તિરૂપ હશે તેની જ નાસ્તિની કથની કથંચિત્
સંભવશે પણ સર્વથા અભાવરૂપની સંજ્ઞા લઈને (વળી) તેની
નાસ્તિની કથની સર્વથા જ બનતી નથી. તમે સર્વજ્ઞનું નામ
લઈને (વળી પાછા તેની) નાસ્તિ કહી, પણ ‘સર્વજ્ઞ’ એવી નામ
સંજ્ઞા તો સર્વજ્ઞની કથંચિત્ અસ્તિતાને જણાવે છે; માટે અમે
તો તમારી પાસે સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ કરીએ છીએ, કે તમે
સર્વજ્ઞનું નામ લઈને નાસ્તિ કહો છો પણ તેમાં તો આમ આવ્યું
કે
સર્વજ્ઞનો સદ્ભાવ કોઈ પ્રકારથી છે જ અને ત્યારે તો
સર્વજ્ઞની સંજ્ઞા બને છે. એ પ્રમાણે સંજ્ઞાના સ્વામીનો પ્રતિષેધ
જ પોતાની પ્રતિષેધ્યવસ્તુની સિદ્ધિ કરે છે.
વળી તમે કહેશો કે‘અમે તો સર્વજ્ઞથી નાસ્તિનું વચન
કહ્યું છે તે તો આસ્તિક્યવાદી સર્વજ્ઞની અસ્તિ માને છે, તેના
અભિપ્રાયને ખંડન કરવા માટે કહ્યું છે.’ તેને અમે કહીએ
છીએ કે
‘સર્વજ્ઞ નથી’ એવું બાધાસહિત વચન તો કહેવું
નહોતું, અગર કહેવું હતું તો સર્વજ્ઞવાદી એવું માને છે પણ
તેનું શ્રદ્ધાન જુઠું છે’ એ પ્રકારથી કહેવું હતું, એટલે તેને તો
પરસ્પર વાદ દ્વારા નિર્ણય થઈ જાય, પરંતુ તમારે આવી
૧. પ્રતિષેધ = નિષેધ.
૨. પ્રતિષેધ્ય = નિષેધવા યોગ્ય.