Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 86 of 103
PDF/HTML Page 98 of 115

 

background image
૮૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
અસંભવતિ વાત વગર વિચાર્યે કહેવી યોગ્ય નહોતી કે ‘સર્વજ્ઞ
જ નથી.’ એ તો તમે જૂઠા મતપક્ષ વડે જ વચન કહ્યું છે,
પરંતુ આસ્તિક્યવાદી તો તમારો નાસ્તિરૂપ વચનને જ
સાધનરૂપ બનાવી સર્વજ્ઞના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. એ
પ્રમાણે તમારા વચનથી જ પોતાની (અમારી) રકમ જે
સર્વજ્ઞની અસ્તિ, તેની સિદ્ધિ કરી.
તથા અમે જે સાધન દ્વારા અનુમાન વડે સર્વજ્ઞની સત્તા
જાણી છે તે તમને દર્શાવીએ છીએઅહીં ચાર પ્રકારના
અનુમાનથી સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય થવો દર્શાવીશું. એક તો
એકદેશ આવરણની હાનિને સાધન કરવી, બીજુંથોડા ઘણા
જ્ઞેયનું પણ પ્રત્યક્ષ છે તેને સાધન કરવું, ત્રીજુંસૂક્ષ્મ આદિ
પદાર્થોને સાધન કરવાં, ચોથુંસૂક્ષ્મઆદિ પદાર્થરૂપે જે
ઉપદેશવાક્યો છે તેને સાધન કરવા; એ પ્રમાણે ચાર પ્રકારનાં
સાધન છે. હવે તેનું વિશેષ (વર્ણન) વા એ સાધનોના
આશ્રયથી કેવી રીતે સર્વજ્ઞનું અનુમાન કરીએ છીએ, તે અહીં
લખીએ છીએઃ
ત્યાં દોષ અને આવરણની હાનિ કોઈ જીવને સંપૂર્ણ થઈ
છે, કારણ કેસંસારમાં જ્ઞાનની વિશેષતા તથા કષાયની મંદતા
ઉત્તરોત્તર વધતી વધતી જોવામાં આવે છે, તેનાથી આ
સર્વજ્ઞતાની સિદ્ધિ કરી. જેમ ગોળથી
*સક્કર વધારે મીઠી છે,
સક્કરથી ખાંડ, ખાંડથી બૂરૂ અને બૂરાથી મિશ્રી (પત્રીસાકર)
* સક્કર શેરડીમાંથી પરબારી સંયુક્તપ્રાંતમાં કાઢવામાં આવે છે.