Shastra Swadhyay (Gujarati). 7. param AlochanA adhikAr.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/DwS
Tiny url for this page: http://samyakdarshan.org/GdMqboy

Page 94 of 214
PDF/HTML Page 106 of 226

 

Hide bookmarks
background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧.
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨.
જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધે તજું;
કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.
સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.
અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે,
શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫.
જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્યે કરે,
તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬.
૭. પરમ-આલોચના અધિકાર
તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાવે આત્મને,
નોકર્મકર્મ-વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭.
આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે શાસ્ત્રમાં,
આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચનાજિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦૯.
છે કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં,
સ્વાધીન તે સમભાવ-નિજપરિણામ આલુંછન કહ્યા. ૧૧૦.
૯૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય