શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુદ્ગલોનું ગમન છે;
ધર્માસ્તિકાય-અભાવમાં આગળ ગમન નહિ થાય છે. ૧૮૪.
પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તત્ફળ અહો!
યદિ પૂર્વ-અપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.
પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે,
તેનાં સુણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬.
નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને,
સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭.
૧૦૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય