Shastra Swadhyay (Gujarati). 3. chAritra prAbhrut.

< Previous Page   Next Page >


Page 111 of 214
PDF/HTML Page 123 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૩. ચારિત્રપ્રાભૃત
સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહ ને વીતરાગ છે,
તે ત્રિજગવંદિત, ભવ્યપૂજિત અર્હતોને વંદીને; ૧.
ભાખીશ હું ચારિત્રપ્રાભૃત મોક્ષને આરાધવા,
જે હેતુ છે સુજ્ઞાન-દ્રગ-ચારિત્ર કેરી શુદ્ધિમાં. ૨.
જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે;
ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩.
આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે;
એ ભાવત્રયની શુદ્ધિ અર્થે દ્વિવિધ ચરણ જિનોક્ત છે. ૪.
સમ્યક્ત્વચરણં છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે,
બીજું ચરિત સંયમચરણ, જિનજ્ઞાનભાષિત તેય છે. ૫.
ઈમ જાણીને છોડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને,
મિથ્યાત્વમય દોષો તથા સમ્યક્ત્વમળ જિન-ઉક્તને. ૬.
નિઃશંકતા, નિઃકાંક્ષ, નિર્વિચિકિત્સ, અવિમૂઢત્વ ને
ઉપગૂહન, થિતિ, વાત્સલ્યભાવ, પ્રભાવનાગુણ અષ્ટ છે. ૭.
તે અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યક્ત્વનેશિવહેતુને
આચરવું જ્ઞાન સમેત, તે સમ્યક્ત્વચરણ ચરિત્ર છે. ૮.
સમ્યક્ત્વચરણવિશુદ્ધ ને નિષ્પન્નસંયમચરણ જો,
નિર્વાણને અચિરે વરે અવિમૂઢદ્રષ્ટિ જ્ઞાનીઓ. ૯.
૧. સુચારિત્ર = સમ્યક્ચારિત્ર.૨.અમેય = અમાપ.
૩. અષ્ટગુણસુવિશુદ્ધ = આઠ ગુણોથી નિર્મળ.
૪. શિવહેતુ = મોક્ષનું કારણ.
અષ્ટપ્રાભૃત-ચારિત્રપ્રાભૃત ]
[ ૧૧૧