Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 114 of 214
PDF/HTML Page 126 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
હિંસાવિરામ, અસત્ય તેમ અદત્તથી વિરમણ અને
અબ્રહ્મવિરમણ, સંગવિરમણછે મહાવ્રત પાંચ એ. ૩૦.
મોટા પુરુષ સાધે, પૂરવ મોટા જનોએ આચર્યાં,
સ્વયમેવ વળી મોટાં જ છે, તેથી મહાવ્રત તે ઠર્યાં. ૩૧.
મન-વચનગુપ્તિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણ અને
અવલોકીને ભોજનઅહિંસાભાવના એ પાંચ છે. ૩૨.
જે ક્રોધ, ભય ને હાસ્ય તેમ જ લોભ-મોહકુભાવ છે,
તેના વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રતે. ૩૩.
સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, પર-ઉપરોધ ના,
આહાર એષણશુદ્ધિયુત, સાધર્મી સહ વિખવાદ ના. ૩૪.
મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, ત્રિયાકથા,
પૌષ્ટિક રસોથી વિરતિતે વ્રત તુર્યની છે ભાવના. ૩૫.
મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમ જ શબ્દમાં
કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬.
ઇર્યા, સુભાષા, એષણા, આદાન ને નિક્ષેપએ,
સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિનો કહે. ૩૭.
રે! ભવ્યજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું જિન જે રીતે,
તે રીત જાણો જ્ઞાન ને જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮.
જે જાણતો જીવ-અજીવના સુવિભાગને, સદ્જ્ઞાની તે
રાગાદિવિરહિત થાય છેજિનશાસને શિવમાર્ગ જે. ૩૯.
૧. વિપર્યયભાવ = વિપરીત ભાવ.
૨. પર-ઉપરોધ ના = બીજાને નડતર થાય એમ ન રહેવું તે.
૩. ત્રિયાકથા = સ્ત્રીકથા.
૪. તુર્ય = ચતુર્થ.
૫. ભવ્યજનબોધાર્થ = ભવ્યજનોને બોધવા માટે. ૬. જ્ઞાનાત્મ = જ્ઞાનસ્વરૂપ.
૧૧૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય