Shastra Swadhyay (Gujarati). 4. bodh prAbhrut.

< Previous Page   Next Page >


Page 115 of 214
PDF/HTML Page 127 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દ્રગ, જ્ઞાન ને ચારિત્રત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે,
જે જાણીને યોગીજનો નિર્વાણને અચિરે વરે. ૪૦.
જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ,
શિવધામવાસી સિદ્ધ થાયત્રિલોકના ચૂડામણિ. ૪૧.
જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઇષ્ટને;
ગુણદોષ જાણી એ રીતે, સદ્જ્ઞાનને જાણો તમે. ૪૨.
જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવ ચહે,
અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩.
વીતરાગદેવે જ્ઞાનથી સમ્યક્ત્વ-સંયમ-આશ્રયે
જે ચરણ ભાખ્યું, તે કહ્યું સંક્ષેપથી અહીં આ રીતે. ૪૪.
ભાવો વિમળ ભાવે ચરણપ્રાભૃત સુવિરચિત સ્પષ્ટ જે,
છોડી ચતુર્ગતિ શીઘ્ર પામો મોક્ષ શાશ્વતને તમે. ૪૫.
૪. બોધપ્રાભૃત
શાસ્ત્રાર્થ બહુ જાણે, સુદ્રગસંયમવિમળ તપ આચરે,
વર્જિતકષાય, વિશુદ્ધ છે, તે સૂરિગણને વંદીને; ૧.
ષટ્કાયસુખકર કથન કરું સંક્ષેપથી, સુણજો તમે,
જે સર્વજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું છે જિનવરે. ૨.
૧.સુદ્રગસંયમવિમળ તપ = સમ્યગ્દર્શન ને સંયમથી શુદ્ધ એવું તપ.
૨.વર્જિતકષાય = કષાયરહિત.
૩.સૂરિગણ = આચાર્યોનો સમૂહ.
અષ્ટપ્રાભૃત-બોધપ્રાભૃત ]
[ ૧૧૫