Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 119 of 214
PDF/HTML Page 131 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અર્હત્ સયોગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે;
ચોત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહાર્યસમેત છે. ૩૨.
ગતિ-ઇન્દ્રિ-કાયે, યોગ-વેદ-કષાય-સંયમ-જ્ઞાનમાં,
દ્રગ-ભવ્ય-લેશ્યા-સંજ્ઞી-સમકિત-આ’રમાં એ સ્થાપવા. ૩૩.
આહાર, કાયા, ઇન્દ્રિ, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન તણી,
અર્હંત ઉત્તમ દેવ છે સમૃદ્ધ ષટ્ પર્યાપ્તિથી. ૩૪.
ઇન્દ્રિયપ્રાણો પાંચ, ત્રણ બળપ્રાણ મન-વચ-કાયના,
બે આયુ-શ્વાસોચ્છ્વાસપ્રાણો,પ્રાણ એ દસ હોય ત્યાં. ૩૫.
માનવભવે પંચેન્દ્રિ તેથી ચૌદમે જીવસ્થાન છે;
પૂર્વોક્ત ગુણગણયુક્ત, ‘ગુણ’-આરૂઢ શ્રી અર્હંત છે. ૩૬.
વણવ્યાધિ-દુઃખ-જરા, અહાર-નિહારવર્જિત, વિમળ છે,
અજુગુપ્સિતા, વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે; ૩૭.
દસ પ્રાણ, ષટ્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ર લક્ષણ યુક્ત છે,
સર્વાંગ ગોક્ષીર-શંખતુલ્ય સુધવલ માંસ-રુધિર છે; ૩૮.
આવા ગુણે સર્વાંગ અતિશયવંત, પરિમલમ્હેકતી,
ઔદારિકી કાયા અહો ! અર્હત્પુરુષની જાણવી. ૩૯.
મદરાગદ્વેષવિહીન, ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે,
મનપરિણમનપરિમુક્ત, કેવળભાવસ્થિત અર્હંત છે. ૪૦.
૧.અજુગુપ્સિતા = જેના પ્રત્યે જુગુપ્સા ન થાય એવી.
૨.વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ = નાકના મેલથી, કફથી ને પરસેવાથી
રહિત.
૩.
સુધવલ = ધોળું.૪. પરિમલ = સુગંધ.
૫.ત્યક્તકષાયમળ = કષાયમળ રહિત.
૬.કેવળ = એકલો; નિર્ભેળ; શુદ્ધ.
અષ્ટપ્રાભૃત-બોધપ્રાભૃત ]
[ ૧૧૯