શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને,
સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે, — અર્હંતનો આ ભાવ છે. ૪૧.
મુનિ શૂન્યગૃહ, તરુતલ વસે, ૧ઉદ્યાન વા સમશાનમાં,
૨ગિરિકંદરે, ગિરિશિખર પર, વિકરાળ વન વા વસતિમાં. ૪૨.
નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્ત્રચૈત્યાલય અને
જિનભવન મુનિનાં લક્ષ્ય છે — જિનવર કહે જિનશાસને. ૪૩.
પંચેન્દ્રિસંયમવંત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને
સ્વાધ્યાય-ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને. ૪૪.
ગૃહ-ગ્રંથ-મોહવિમુક્ત છે, પરિષહજયી, અકષાય છે,
છે મુક્ત પાપારંભથી, — દીક્ષા કહી આવી જિને. ૪૫.
ધન-ધાન્ય-૩પટ, ૪કંચન-રજત, આસન-શયન, છત્રાદિનાં
સર્વે કુદાન વિહીન છે, — દીક્ષા કહી આવી જિને. ૪૬.
નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલબ્ધિ ને ૫લબ્ધિ વિષે,
તૃણ-કંચને સમભાવ છે, — દીક્ષા કહી આવી જિને. ૪૭.
નિર્ધન-સધન ને ઉચ્ચ-મધ્યમ ૬સદન અનપેક્ષિતપણે
સર્વત્ર ૭પિંડ ગ્રહાય છે, — દીક્ષા કહી આવી જિને. ૪૮.
નિર્ગ્રંથ ને નિઃસંગ ૮નિર્માનાશ, નિરહંકાર છે,
નિર્મમ, અરાગ, અદ્વેષ છે, — દીક્ષા કહી આવી જિને. ૪૯.
નિઃસ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે,
આશારહિત, નિર્લોભ છે, — દીક્ષા કહી આવી જિને. ૫૦.
૧. ઉદ્યાન = બગીચો.૨. ગિરિકંદર = પર્વતની ગુફા.
૩. પટ = વસ્ત્ર.૪. કંચન-રજત = સોનું-રૂપું.
૫. લબ્ધિ = લાભ.૬. સદન = ઘર. ૭. પિંડ = આહાર.
૮. નિર્માનાશ = માન ને આશા રહિત.
૧૨૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય