શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જન્મ્યા પ્રમાણે રૂપ, ૧લંબિતભુજ, ૨નિરાયુધ, શાંત છે,
પરકૃત ૩નિલયમાં વાસ છે, — દીક્ષા કહી આવી જિને. ૫૧.
ઉપશમ-ક્ષમા-૪દમયુક્ત, તનસંસ્કારવર્જિત ૫રૂક્ષ છે,
મદ-રાગ-દ્વેષવિહીન છે, — દીક્ષા કહી આવી જિને. ૫૨.
જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે,
સમ્યક્ત્વગુણથી શુદ્ધ છે, — દીક્ષા કહી આવી જિને. ૫૩.
નિર્ગ્રંથ દીક્ષા છે કહી ષટ્ સંહનનમાં જિનવરે;
ભવિ પુરુષ ભાવે તેહને; તે કર્મક્ષયનો હેતુ છે. ૫૪.
તલતુષપ્રમાણ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં;
— આવી પ્રવ્રજ્યા હોય છે સર્વજ્ઞજિનદેવે કહી. ૫૫.
ઉપસર્ગ-પરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્યે રહે,
સર્વત્ર કાષ્ઠ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. ૫૬.
સ્ત્રી-૬ષંઢ-પશુ-૭દુઃશીલનો નહિ સંગ, નહિ વિકથા કરે,
સ્વાધ્યાય-ધ્યાને યુક્ત છે, — દીક્ષા કહી આવી જિને. ૫૭.
તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદ્રગગુણસુવિશુદ્ધ છે,
છે ગુણવિશુદ્ધ, — સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮.
સંક્ષેપમાં આયતનથી ૮દીક્ષાંત ભાવ અહીં કહ્યા,
જ્યમ શુદ્ધસમ્યગ્દરશયુત નિર્ગ્રંથ જિનપથ વર્ણવ્યા. ૫૯.
૧. લંબિતભુજ = નીચે લટકતા હાથવાળી. ૨. નિરાયુધ = શસ્ત્રરહિત.
૩. નિલય = રહેઠાણ.૪.દમ = ઇન્દ્રિયનિગ્રહ.
૫. રૂક્ષ = તેલમર્દન રહિત.૬.ષંઢ = નપુંસક.
૭. દુઃશીલ = કુશીલ જનો.
૮. દીક્ષાંત = પ્રવ્રજ્યા સુધીના.
અષ્ટપ્રાભૃત-બોધપ્રાભૃત ]
[ ૧૨૧