Shastra Swadhyay (Gujarati). 5. bhAv prAbhrut.

< Previous Page   Next Page >


Page 122 of 214
PDF/HTML Page 134 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રૂપસ્થ સુવિશુદ્ધાર્થ વર્ણન જિનપથે જ્યમ જિન કર્યું,
ત્યમ ભવ્યજનબોધન-અરથ ષટ્કાયહિતકર અહીં કહ્યું. ૬૦.
જિનકથન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું;
તે જાણ્યું શિષ્યે ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું. ૬૧.
જસ બોધ દ્વાદશ અંગનો, ચઉદશપૂરવ-વિસ્તારનો,
જય હો શ્રુતંધર ભદ્રબાહુ ગમકગુરુ ભગવાનનો. ૬૨.
૫. ભાવપ્રાભૃત
સુર-અસુર-નરપતિવંદ્ય જિનવર-ઇન્દ્રને, શ્રી સિદ્ધને,
મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાભૃત-શાસ્ત્રને. ૧.
છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમાર્થ છે;
ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨.
રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે;
છે વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩.
છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી
પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪.
પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે,
તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને? ૫.
૧. સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું; તાત્ત્વિક.
૨. જસ = જેમને.
૩. ચઉદશ = ચૌદ.૪.
શ્રુતંધર = શ્રુતજ્ઞાની.
૫. વિફળ = નિષ્ફળ.૬. આંતર-ગ્રંથ = અભ્યંતર પરિગ્રહ.
૭. લંબિતકર = નીચે લટકાવેલા હાથવાળા.
૧૨૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય