શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે આત્મને ધ્યાવે, ૧સુદર્શનશુદ્ધ, ૨દ્રઢચારિત્ર છે,
વિષયે વિરક્તમનસ્ક તે શિવપદ લહે નિશ્ચિતપણે. ૭૦.
પરદ્રવ્ય પ્રત્યે રાગ તો સંસારકારણ છે ખરે;
તેથી શ્રમણ નિત્યે કરો નિજભાવના સ્વાત્મા વિષે. ૭૧.
નિંદા-પ્રશંસાને વિષે, દુઃખો તથા સૌખ્યો વિષે,
શત્રુ તથા મિત્રો વિષે ૩સમતાથી ચારિત હોય છે. ૭૨.
૪આવૃતચરણ, વ્રતસમિતિવર્જિત, શુદ્ધભાવવિહીન જે,
તે કોઈ નર ૫જલ્પે અરે! — ‘નહિ ધ્યાનનો આ કાળ છે’. ૭૩.
સમ્યક્ત્વજ્ઞાનવિહીન, ૬શિવપરિમુક્ત જીવ અભવ્ય જે,
તે ૭સુરત ભવસુખમાં કહે — ‘નહિ ધ્યાનનો આ કાળ છે’. ૭૪.
ત્રણ ગુપ્તિ, પંચ સમિતિ, પંચ મહાવ્રતે જે મૂઢ છે,
તે મૂઢ ૮અજ્ઞ કહે અરે! — નહિ ધ્યાનનો આ કાળ છે’. ૭૫.
ભરતે ૯દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે;
તે હોય છે ૧૦આત્મસ્થને; માને ન તે અજ્ઞાની છે. ૭૬.
૧૫૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. સુદર્શનશુદ્ધ = સમ્યગ્દર્શનથી શુદ્ધ; દર્શનશુદ્ધિવાળા.
૨. દ્રઢચારિત્ર = દ્રઢ ચારિત્રયુક્ત.
૩. સમતા = સમભાવ; સામ્યપરિણામ.
૪. આવૃતચરણ = જેમનું ચારિત્ર અવરાયેલું છે એવા.
૫. જલ્પે = બકવાદ કરે છે; બબડે છે; કહે છે.
૬. શિવપરિમુક્ત = મોક્ષથી સર્વતઃ રહિત.
૭. સુરત ભવસુખમાં = સંસારસુખમાં સારી રીતે રત (અર્થાત્ સંસારસુખમાં
અભિપ્રાય-અપેક્ષાએ પ્રીતિવાળો જીવ).
૮. અજ્ઞ = અજ્ઞાની ૯. દુષમકાળ = દુઃષમકાળ અર્થાત્
પંચમ કાળ.
૧૦. આત્મસ્થ = સ્વાત્મામાં સ્થિત; આત્મસ્વભાવમાં સ્થિત.