શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૧હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું,
નિર્ગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦.
સમ્યક્ત્વ તેને, જેહ માને ૨લિંગ પરનિરપેક્ષને,
૩રૂપે યથાજાતક, ૪સુસંયત, સર્વસંગવિમુક્તને. ૯૧.
જે દેવ ૫કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા,
ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨.
વંદન અસંયત, ૬રક્ત દેવો, લિંગ ૭સપરાપેક્ષને,
– એ માન્ય હોય કુદ્રષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિને. ૯૩.
સમ્યક્ત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને;
વિપરીત તેથી જે કરે, કુદ્રષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪.
કુદ્રષ્ટિ જે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં,
જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણસહસ્ર ભર્યા જિહાં. ૯૫.
‘સમ્યક્ત્વ ગુણ, મિથ્યાત્વ દોષ’ તું એમ મન સુવિચારીને,
કર તે તને જે મન રુચે; બહુ કથન શું કરવું અરે? ૯૬.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૫૫
૧. હિંસા સુવિરહિત = હિંસારહિત.
૨. લિંગ પરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતર્બાહ્ય) લિંગને; પરને નહિ
અવલંબનારા એવા લિંગને.
૩. રૂપે યથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્ન – સહજ – સ્વાભાવિક –
નિરુપાધિક રૂપવાળા; (બાહ્યલિંગ-અપેક્ષાએ) જન્મ્યા પ્રમાણેના રૂપવાળા.
૪. સુસંયત = સારી રીતે સંયત; સુસંયમયુક્ત.
૫. કુત્સિત = નિંદિત; ખરાબ; અધમ.
૬. રક્ત = રાગી.
૭. સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા.