Shastra Swadhyay (Gujarati). 8. shil prAbhrut.

< Previous Page   Next Page >


Page 160 of 214
PDF/HTML Page 172 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૮. શીલપ્રાભૃત
વિસ્તીર્ણલોચન, રક્તકજકોમલ-સુપદ શ્રી વીરને
ત્રિવિધે કરીને વંદના, હું વર્ણવું શીલગુણને. ૧.
ન વિરોધ ભાખ્યો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને;
વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨.
દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દુષ્કર અરે!
વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩.
જાણે ન આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જ્યાં લગી;
નહિ ક્ષપણ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪.
જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દ્રગહીન જે,
તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય નિરર્થ છે. ૫.
જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દ્રગશુદ્ધ જે,
તપ જે સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬.
નર કોઈ, જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે,
ભટકે ચતુર્ગતિમાં અરે! વિષયે વિમોહિત મૂઢ એ. ૭.
પણ વિષયમાંહિ વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત જે,
નિઃશંક તે તપગુણસહિત છેદે ચતુર્ગતિભ્રમણને. ૮.
૧૬૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. વિસ્તીર્ણલોચન = (૧) વિશાળ નેત્રવાળા; (૨) વિસ્તૃત દર્શનજ્ઞાનવાળા.
૨. રક્તકજકોમલ-સુપદ = લાલ કમળ જેવાં કોમળ જેમનાં સુપદ (સુંદર ચરણો
અથવા રાગદ્વેષરહિત વચનો) છે એવા.
૩. ક્ષપણ = ક્ષય કરવો તે; નાશ કરવો તે.
૪.
નિરર્થ = નિરર્થક; નિષ્ફળ.
૫.દ્રગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ.૬. સસંયમ = સંયમ સહિત.