Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 162 of 214
PDF/HTML Page 174 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો,
માનુષ્ય તેનું છે સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮.
પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ, અચૌર્ય ને સંતુષ્ટતા,
સમ્યક્ત્વ, જ્ઞાન, તપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯.
છે શીલ તે તપ શુદ્ધ, તે દ્રગશુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે,
છે શીલ અરિ વિષયો તણો ને શીલ શિવસોપાન છે. ૨૦.
વિષ ઘોર જંગમ-સ્થાવરોનું નષ્ટ કરતું સર્વને,
પણ વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયવિષ અતિરૌદ્ર છે. ૨૧.
વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને,
પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨.
બહુ વેદના નરકો વિષે, દુઃખો મનુજ-તિર્યંચમાં,
દેવેય દુર્ભગતા લહે વિષયાવલંબી આતમા. ૨૩.
૧૦તુષ દૂર કરતાં જે રીતે કં ૧૧દ્રવ્ય નરનું ન જાય છે,
તપશીલવંત ૧૨સુકુશલ, ૧૩ખળ માફક, વિષયવિષને તજે. ૨૪.
૧. હીન = હીણા (અર્થાત્ કુલાદિ બાહ્ય સંપત્તિ અપેક્ષાએ હલકા).
૨. રૂપવિરૂપ = રૂપે વિરૂપ; રૂપ-અપેક્ષાએ કુરૂપ.
૩. માનુષ્ય = મનુષ્યપણું (અર્થાત્ મનુષ્યજીવન).
૪. સુજીવિત = સારી રીતે જિવાયેલું; પ્રશંસનીયપણે
સફળપણે જીવવામાં
આવેલું.૫. અરિ = વેરી; શત્રુ.
૬. શિવસોપાન = મોક્ષનું પગથિયું.
૭. વિષયલુબ્ધ તણું વિઘાતક = વિષયલુબ્ધ જીવોનો ઘાત કરનારું (અર્થાત્ તેમનું
અત્યંત બૂરું કરનારું). ૮. સંસારકાંતારે = સંસારરૂપી મોટા ભયંકર વનમાં.
૯. દુર્ભગતા = દુર્ભાગ્ય. ૧૦. તુષ દૂર કરતાં = ધાન્યમાંથી ફોતરાં વગેરે કચરો
કાઢી નાખતાં.૧૧. દ્રવ્ય = વસ્તુ (અર્થાત્ ધાન્ય).
૧૨. સુકુશલ = કુશળ અર્થાત્ પ્રવીણ પુરુષ. ૧૩. ખળ = વસ્તુનો રસકસ
વિનાનો નકામો ભાગકચરો; સત્ત્વ કાઢી લેતાં બાકી રહેતા કૂચા.
૧૬૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય