Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 164 of 214
PDF/HTML Page 176 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સમ્યક્ત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યાચરણ આત્મા વિષે,
પવને સહિત પાવક સમાન, દહે પુરાતન કર્મને. ૩૪.
વિજિતેન્દ્રિ વિષયવિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને,
ધીરા દહી વસુ કર્મ, શિવગતિપ્રાપ્ત સિદ્ધપ્રભુ બને. ૩૫.
જે શ્રમણ કેરું જન્મતરુ લાવણ્ય-શીલસમૃદ્ધ છે,
તે શીલધર છે, છે મહાત્મા, લોકમાં ગુણ વિસ્તરે. ૩૬.
દ્રગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ, ધ્યાન સ્વશક્તિ-આશ્રિત હોય છે,
સમ્યક્ત્વથી જીવો લહે છે બોધિને જિનશાસને. ૩૭.
જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો,
કરી સ્નાન શીલસલિલથી, સુખ સિદ્ધિનું પામે અહો! ૩૮.
આરાધનાપરિણત સરવ ગુણથી કરે ૧૦કૃશ કર્મને,
સુખદુખરહિત ૧૧મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯.
અર્હંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત્વ છે,
ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦.
૧. પાવક = અગ્નિ.૨. દહે = બાળે.
૩. પુરાતન = જૂનાં.૪. વિજિતેન્દ્રિ = જિતેન્દ્રિય.
૫. ધીરા = ધીર પુરુષો.૬. દહી વસુ કર્મ = આઠ કર્મને બાળીને.
૭. બોધિ = રત્નત્રયપરિણતિ.
૮. શીલસલિલ = શીલરૂપી જળ.
૯. આરાધનાપરિણત = આરાધનારૂપે પરિણમેલા પુરુષો.
૧૦. કૃશ = નબળાં; પાતળાં; ક્ષીણ.
૧૧. મનશુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા).
૧૬૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય