Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 169 of 214
PDF/HTML Page 181 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રાગાદિક-કલ્લોલથી મન-જળ લોલ ન થાય,
તે દેખે ચિદ્તત્ત્વને, અન્ય જને ન જણાય. ૩૫.
અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત;
અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. ૩૬.
અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય;
જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. ૩૭.
અપમાનાદિક તેહને, જસ મનને વિક્ષેપ;
અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. ૩૮.
યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય;
સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. ૩૯.
તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત,
શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. ૪૦.
આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય;
તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય. ૪૧.
દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય;
તત્ત્વજ્ઞાની તે સર્વથી ઇચ્છે મુક્તિ સદાય. ૪૨.
પરમાં નિજમતિ નિયમથી સ્વચ્યુત થઈ બંધાય;
નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરચ્યુત થઈ મુકાય. ૪૩.
નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ;
સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુધ. ૪૪.
૧. લોલ = ચંચળ.૨. વિક્ષિપ્ત =આકુલિત.
૩. અજ્ઞાનજ = અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા.
૪. આત્મભ્રમોદ્ભવ = આત્માના ભ્રમથી ઉત્પન્ન.
૫. અભિલષે = ઇચ્છે.
૬. ચ્યુત = ભ્રષ્ટ.
સમાધિતંત્ર ]
[ ૧૬૯