Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 171 of 214
PDF/HTML Page 183 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ઇન્દ્રિયવિષયે જીવને કાંઈ ન ક્ષેમસ્વરૂપ;
છતાં અવિદ્યાભાવથી રમણ કરે ત્યાં મૂઢ. ૫૫.
મૂઢ કુયોનિમહીં સૂતા તમોગ્રસ્ત ચિરકાળ;
જાગી તન-ભાર્યાદિમાં કરે ‘હું-મુજ’ અધ્યાસ. ૫૬.
આત્મતત્ત્વમાં સ્થિત થઈ નિત્ય દેખવું એમ,
મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. ૫૭.
મૂઢાત્મા જાણે નહીં વણબોધ્યે જ્યમ તત્ત્વ,
બોધ્યે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. ૫૮.
જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ ‘હું’તત્ત્વ;
‘હું’ છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ? ૫૯.
અંતર્જ્ઞાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ;
કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. ૬૦.
તન સુખ-દુખ જાણે નહીં, તથાપિ એ તનમાંય,
નિગ્રહ ને અનુગ્રહ તણી બુદ્ધિ અબુધને થાય. ૬૧.
જ્યાં લગી મન-વચ-કાયને આતમરૂપ મનાય,
ત્યાં લગી છે સંસાર ને ભેદ થકી શિવ થાય. ૬૨.
સ્થૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ન શરીર,
પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. ૬૩.
જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર,
જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. ૬૪.
વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ગણે ન શરીર,
દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. ૬૫.
૧. તમોગ્રસ્ત = અજ્ઞાનથી ઘેરાયેલા.૨. અધ્યાસ = માન્યતા.
૩. બોધવા = સમજાવવા.
સમાધિતંત્ર ]
[ ૧૭૧