Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 172 of 214
PDF/HTML Page 184 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રક્ત વસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર,
રક્ત દેહથી જ્ઞાનીજન રક્ત ન માને જીવ. ૬૬.
સક્રિય જગ જેને દીસે જડ અક્રિય અણભોગ,
તે જ લહે છે પ્રશમને, અન્યે નહિ તદ્યોગ. ૬૭.
તનકંચુકથી જેહનું સંવૃત જ્ઞાનશરીર,
તે જાણે નહિ આત્મને, ભવમાં ભમે સુચિર. ૬૮.
અસ્થિર અણુનો વ્યૂહ છે સમ-આકાર શરીર,
સ્થિતિભ્રમથી મૂરખ જનો તે જ ગણે છે જીવ. ૬૯.
હું ગોરો કૃશ સ્થૂલ ના, એ સૌ છે તનભાવ,
એમ ગણો, ધારો સદા આત્મા જ્ઞાનસ્વભાવ. ૭૦.
જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય;
ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નો’ય. ૭૧.
જનસંગે વચસંગ ને તેથી મનનો સ્પંદ,
તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ. ૭૨.
અનાત્મદર્શી ગામ વા વનમાં કરે નિવાસ;
નિશ્ચળ શુદ્ધાત્મામહીં આત્મદર્શીનો વાસ. ૭૩.
દેહે આતમ-ભાવના દેહાન્તરગતિ-બીજ;
આત્મામાં નિજ-ભાવના દેહમુક્તિનું બીજ. ૭૪.
જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ;
તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણ. ૭૫.
૧. રક્ત = લાલ.૨. કંચુક = કાંચળી.૩. સંવૃત =
ઢંકાયેલું.
૪. વ્યૂહ = સમૂહ.
૫. ધૃતિ = ધીરજ; ધૈર્ય; ધારણા.
૬. સ્પન્દ = વ્યગ્રતા.૭. અનાત્મદર્શી = આત્માનો અનુભવ જેને થયો
૧૭૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય