Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 174 of 214
PDF/HTML Page 186 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અવ્રતિ-જન વ્રતને ગ્રહે, વ્રતી જ્ઞાનરત થાય;
પરમ-જ્ઞાનને પામીને સ્વયં ‘પરમ’ થઈ જાય. ૮૬
તનને આશ્રિત લિંગ છે, તન જીવનો સંસાર;
તેથી લિંગાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૭.
તનને આશ્રિત જાતિ છે, તન જીવનો સંસાર;
તેથી જાત્યાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૮.
જાતિ-લિંગ-વિકલ્પથી આગમ-આગ્રહ હોય,
તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય. ૮૯.
જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ;
ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને મોહી ધરે ફરીય. ૯૦.
અજ્ઞ પંગુની દ્રષ્ટિને માને અંધામાંય;
અભેદજ્ઞ જીવદ્રષ્ટિને માને છે તનમાંય. ૯૧.
વિજ્ઞ ન માને પંગુની દ્રષ્ટિ અંધામાંય;
નિજજ્ઞ ત્યમ માને નહીં જીવદ્રષ્ટિ તનમાંય. ૯૨.
માત્ર મત્ત નિદ્રિત દશા વિભ્રમ જાણે અજ્ઞ;
દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજજ્ઞ. ૯૩.
તનદ્રષ્ટિ સર્વાગમી જાગૃત પણ ન મુકાય;
આત્મદ્રષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. ૯૪.
જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત;
થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. ૯૫.
જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત;
જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન? ૯૬.
૧. જાત્યાગ્રહી = જાતિનો આગ્રહી.૨. પંગુ = લંગડો.
૩. નિજજ્ઞ = આત્માને જાણનાર. ૪. સર્વાગમી = સર્વ શાસ્ત્રોનો જાણનાર.
૧૭૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય