Shastra Swadhyay (Gujarati). Ishtopdesh.

< Previous Page   Next Page >


Page 176 of 214
PDF/HTML Page 188 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શ્રી
ઇષ્ટોપદેશ
(પદ્યાનુવાદ)
(દોહરા)
સકલ કર્મનો ક્ષય કરી, પામ્યા સ્વયં સ્વભાવ,
સર્વજ્ઞાની પરમાત્મને, નમું કરી બહુ ભાવ. ૧.
યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય;
તેમ સુદ્રવ્યાદિ કરી, જીવ શુદ્ધ થઈ જાય. ૨.
છાયા આતપ સ્થિત જો, જન પામે સુખ દુઃખ;
તેમ દેવપદ વ્રત થકી, અવ્રતે નારક દુઃખ. ૩.
આત્મભાવથી મોક્ષ જ્યાં, ત્યાં સ્વર્ગ શું દૂર?
ભાર વહે જે કોશ બે, અર્ધ કોશ શું દૂર? ૪.
ઇન્દ્રિયજન્ય નિરામયી, દીર્ઘકાલ તક ભોગ્ય;
ભોગે સુરગણ સ્વર્ગમાં સૌખ્ય સુરોને યોગ્ય. ૫.
સુખ-દુઃખ સંસારીનાં, વાસનાજન્ય તું માન,
આપદમાં દુખકાર તે, ભોગો રોગ સમાન. ૬.
મોહે આવૃત જ્ઞાન જે, પામે નહીં નિજરૂપ;
કોદ્રવથી જે મત્ત જન, જાણે ન વસ્તુસ્વરૂપ. ૭.
તન, ધન, ઘર, સ્ત્રી, મિત્ર-અરિ, પુત્રાદિ સહુ અન્ય,
પરભાવોમાં મૂઢ જન, માને તેહ અનન્ય. ૮.