શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દિશા-દેશથી આવીને, પક્ષી વૃક્ષ વસન્ત,
પ્રાત થતાં નિજ કાર્યવશ, વિધવિધ દેશ ઉડન્ત. ૯.
અપરાધી જન કાં કરે હન્તા જન પર ક્રોધ?
પગથી ત્ર્યંગુલ પાડતાં, દંડે પડે અબોધ. ૧૦.
દીર્ઘ દોર બે ખેંચતાં ભમે દંડ બહુ વાર;
રાગ-દ્વેષ અજ્ઞાનથી, જીવ ભમે સંસાર. ૧૧.
એક વિપદને ટાળતાં, અન્ય વિપદ બહુ આય;
પદિકા જ્યમ ઘટિયંત્રમાં એક જાય બહુ આય. ૧૨.
જ્વર-પીડિત જ્યમ ઘી વડે, માને નિજને ચેન;
કષ્ટ-સાધ્ય ધન આદિથી, માને મૂઢ સુખ તેમ. ૧૩.
દેખે વિપત્તિ અન્યની, નિજની દેખે નાહિ;
બળતાં પશુઓ વન વિષે, દેખે તરુ પર જાઈ. ૧૪.
આયુ-ક્ષય ધનવૃદ્ધિનું કારણ કાળ જ જાણ,
પ્રાણોથી પણ લક્ષ્મીને, ઇચ્છે ધની અધિકાન. ૧૫.
દાન-હેતુ ઉદ્યમ કરે, નિર્ધન ધન સંચેય;
દેહે કાદવ લેપીને, માને ‘સ્નાન કરેય’. ૧૬.
ભોગાર્જન દુઃખદ મહા, પામ્યે તૃષ્ણા અમાપ,
ત્યાગ-સમય અતિ કષ્ટ જ્યાં, કો સેવે ધીમાન? ૧૭.
શુચિ પદાર્થ જસ સંગથી, મહા અશુચિ થઈ જાય,
વિઘ્નરૂપ તસ કાય હિત, ઇચ્છા વ્યર્થ જણાય. ૧૮
જે આત્માને હિત કરે, તે તનને અપકાર;
કરે હિત જે દેહને, તે જીવને અપકાર. ૧૯.
છે ચિંતામણિ દિવ્ય જ્યાં, ત્યાં છે ખોળ અસાર;
પામે બેઉ ધ્યાનથી, ચતુર કરે ક્યાં વિચાર? ૨૦.
ઇષ્ટોપદેશ ]
[ ૧૭૭