Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 55 of 214
PDF/HTML Page 67 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૪૭.
મોહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણનો,
જીવ કર્મફળ-ઉપભોગ કરતાં, બંધ પામે કર્મનો. ૧૪૮.
જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને,
તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે. ૧૪૯.
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં. ૧૫૦.
કરી ઇન્દ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મનેઉપયોગને,
તે કર્મથી રંજિત નહીં; ક્યમ પ્રાણ તેને અનુસરે? ૧૫૧.
અસ્તિત્વનિશ્ચિત અર્થનો કો અન્ય અર્થે ઊપજતો
જે અર્થ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિનો. ૧૫૨.
તિર્યંચ, નારક, દેવ, નરએ નામકર્મોદય વડે
છે જીવના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાદિકે. ૧૫૩.
અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્યસ્વભાવને ત્રિવિકલ્પને
જે જાણતો, તે આતમા નહિ મોહ પરદ્રવ્યે લહે. ૧૫૪.
છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-જ્ઞાન છે;
ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૧૫૫.
ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં,
ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં. ૧૫૬.
જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને,
જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૫૫