Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 58 of 214
PDF/HTML Page 70 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે;
છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦.
પર માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ પરમાં પાપ છે;
નિજદ્રવ્યગત પરિણામ સમયે દુઃખક્ષયનો હેતુ છે. ૧૮૧.
સ્થાવર અને ત્રસ પૃથ્વીઆદિક જીવકાય કહેલ જે,
તે જીવથી છે અન્ય તેમ જ જીવ તેથી અન્ય છે. ૧૮૨.
પરને સ્વને નહિ જાણતો એ રીત પામી સ્વભાવને,
તે ‘આ હું, આ મુજ’ એમ અધ્યવસાન મોહ થકી કરે. ૧૮૩.
નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવનો;
પણ તે નથી કર્તા સકલ પુદ્ગલદરવમય ભાવનો. ૧૮૪.
જીવ સર્વ કાળે પુદ્ગલોની મધ્યમાં વર્તે ભલે,
પણ નવ ગ્રહે, ન તજે, કરે નહિ જીવ પુદ્ગલકર્મને. ૧૮૫.
તે હાલ દ્રવ્યજનિત નિજ પરિણામનો કર્તા બને,
તેથી ગ્રહાય અને કદાપિ મુકાય છે કર્મો વડે. ૧૮૬.
જીવ રાગદ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ-અશુભમાં,
જ્ઞાનાવરણઇત્યાદિભાવે કર્મધૂલિ પ્રવેશ ત્યાં. ૧૮૭.
સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિ વડે,
સંબંધ પામી કર્મરજનો, બંધરૂપ કથાય છે. ૧૮૮.
આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ભાખિયો
અર્હંતદેવે યોગીને; વ્યવહાર અન્ય રીતે કહ્યો. ૧૮૯.
‘હું આ અને આ મારું’ એ મમતા ન દેહ-ધને તજે,
તે છોડી જીવ શ્રામણ્યને ઉન્માર્ગનો આશ્રય કરે. ૧૯૦.
૫૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય