Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 61 of 214
PDF/HTML Page 73 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જો છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે,
આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧.
છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ,
નિજ દોષ આલોચન કરી, શ્રમણોપદિષ્ટ કરે વિધિ. ૨૧૨.
પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગર વિવાસમાં,
મુનિરાજ વિહરો સર્વદા થઈ છેદહીન શ્રામણ્યમાં. ૨૧૩.
જે શ્રમણ જ્ઞાન-દ્રગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા,
ને પ્રયત મૂળગુણો વિષે, શ્રામણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪.
મુનિ ક્ષપણ માંહી, નિવાસસ્થાન, વિહાર વા ભોજન મહીં,
ઉપધિ-શ્રમણ-વિકથા મહીં પ્રતિબંધને ઇચ્છે નહીં. ૨૧૫.
આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે,
તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬.
જીવો-મરો જીવ, યત્નહીન આચાર ત્યાં હિંસા નક્કી;
સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ૨૧૭.
મુનિ યત્નહીન આચારવંત છ કાયનો હિંસક કહ્યો;
જલકમલવત્ નિર્લેપ ભાખ્યો, નિત્ય યત્નસહિત જો. ૨૧૮.
દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાયન થાય છે,
પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડ્યો યોગીએ. ૨૧૯.
નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહિ ભાવશુદ્ધિ ભિક્ષુને,
ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મનો કઈ રીત બને? ૨૨૦.
આરંભ, અણસંયમ અને મૂર્છા ન ત્યાંએ ક્યમ બને?
પરદ્રવ્યરત જે હોય તે કઈ રીત સાધે આત્મને? ૨૨૧.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૬૧