શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને,
નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫.
છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે
રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬.
પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જનો પરે
ઉપકાર-સેવા-દાન સર્વ કુદેવમનુજપણે ફળે. ૨૫૭.
‘વિષયો કષાયો પાપ છે’ જો એમ નિરૂપણ શાસ્ત્રમાં,
તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા? ૨૫૮.
તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને,
સમભાવ જ્યાં સૌ ધાર્મિકે, ગુણસમૂહસેવન જેહને. ૨૫૯.
અશુભોપયોગરહિત શ્રમણો — શુદ્ધ વા શુભયુક્ત જે,
તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને. ૨૬૦.
પ્રકૃત વસ્તુ દેખી અભ્યુત્થાન આદિ ક્રિયા થકી
વર્તો શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ૨૬૧.
ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભ્યુત્થાન ને
અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ૨૬૨.
મુનિ સૂત્ર-અર્થપ્રવીણ સંયમજ્ઞાનતપસમૃદ્ધને
પ્રણિપાત, અભ્યુત્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩.
શાસ્ત્રે કહ્યું — તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં,
જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જો શ્રદ્ધે નહીં. ૨૬૪.
મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે,
અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તણો કરે. ૨૬૫.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૬૫