Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 75 of 214
PDF/HTML Page 87 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં,
ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. ૮૫.
જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે;
પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬.
ધર્માધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને;
તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭.
ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતો પરદ્રવ્યને;
જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણો ઉદાસીન હેતુ છે. ૮૮.
રે! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે;
તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯.
જે લોકમાં જીવ-પુદ્ગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦.
જીવ-પુદ્ગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી;
નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧.
અવકાશદાયક આભ ગતિ-સ્થિતિહેતુતા પણ જો ધરે,
તો ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨.
ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી,
તે કારણે જાણોગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩.
નભ હોય જો ગતિહેતુ ને સ્થિતિહેતુ પુદ્ગલ-જીવને,
તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪.
તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં;
ભાખ્યું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૭૫