Shastra Swadhyay (Gujarati). 2. ajiv adhikAr.

< Previous Page   Next Page >


Page 86 of 214
PDF/HTML Page 98 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે;
ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિકે. ૧૯.
૨. અજીવ અધિકાર
પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના;
છ વિકલ્પ છે સ્કંધો તણા ને ભેદ બે પરમાણુના. ૨૦.
અતિથૂલથૂલ, થૂલ, થૂલસૂક્ષમ, સૂક્ષ્મથૂલ, વળી સૂક્ષ્મ ને
અતિસૂક્ષ્મએમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧.
ભૂપર્વતાદિક સ્કંધને અતિથૂલથૂલ જિને કહ્યા,
ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી થૂલ સ્કંધો જાણવા; ૨૨.
આતપ અને છાયાદિને થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે,
ચતુરિંદ્રિયના જે વિષય તેને સૂક્ષ્મથૂલ કહ્યા જિને; ૨૩.
વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા,
તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪.
જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો;
સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫.
જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે,
જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬.
બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે;
જિનસમયમાંહી વિભાવગુણ સર્વાક્ષપ્રગટ કહેલ છે. ૨૭.
પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો;
પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮.
૮૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય