Shastra Swadhyay (Gujarati). 3. shuddhbhav adhikAr.

< Previous Page   Next Page >


Page 87 of 214
PDF/HTML Page 99 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરમાણુને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી;
ને સ્કંધને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯.
જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે;
જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦.
આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે;
સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિપ્રમાણ અતીત છે. ૩૧.
જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા;
તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨.
જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે;
ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩.
જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે,
તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪.
અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને,
અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫.
અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને,
છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે;
ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭.
૩. શુદ્ધભાવ અધિકાર
છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે,
જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૮૭