૯૨ ][ શ્રી જિનેન્દ્ર
કહાન જનમતાં ભરતખંડ ડોલ્યું;
જનમ્યા અનુપમ કહાન....ઉજમબા.
મોતીચંદભાઈને ઘેર નૃત્ય આજ થાય છે,
ઘેર ઘેર મંગળ થાય...ઉજમબા.
દેવ દેવેન્દ્રો (સહુ મળી) મંગળ આજ ગાય જે;
ભરતખંડમાં ડંકા થાય...ઉજમબા.
બાળક કુંવર કહાન એ જુદા હતા કોઈ,
ખેલતા’તા જ્ઞાનકુંજ માંહી ઉજમબા.
વીત્યા વીત્યા તે કાંઈ બાળકાળ વીત્યા,
લાગી ધૂન આતમાની માંહી...ઉજમબા.
વૈરાગી કહાને ત્યાગ જ લીધો,
કાઢ્યું અલૌકિક કાંઈ...ઉજમબા.
કહાન પ્રભુએ બંસરી બજાવી,
મીઠા એ બંસરીના સૂર...ઉજમબા.
મીઠા આ સૂર અહીં આવ્યા છે ક્યાંથી,
જાગ્યો છે એક કોઈ સંત...ઉજમબા.
ચાલો સહુ એ સુણવા જઈએ,
મીઠા આ બંસરીના સૂર...ઉજમબા.
અબધૂત અલખ જગાડનાર સંત આ,
દેવોને આશ્ચર્ય થાય, આજ ગુરુજન્મ વધામણા
અધ્યાત્મરસનો રસીલો સંત આ,
શ્રુતસાગર ઊછળ્યા મહાન...ઉજમબા.