સદ્વૈરાગ્ય રસે રસિક થઈને, દીક્ષેચ્છુ ક્યારે થશું,
ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને ક્યારે સુભાગ્યે જશું. ૨
સેવા શ્રી ગુરુદેવની કરી કદા નિજ સંપદા પામશું,
ને સુધ્યાનારૂઢ બનીને વનવાસી ક્યારે થશું. ૩
સર્પે કે મણિમાળમાં કુસુમની શય્યા તથા ધૂળમાં,
ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને શત્રુ અને મિત્રમાં. ૪
ધ્યાનાભ્યાસ રસાયણે હૃદયને રંગી અસંગી બની,
ક્યારે અસ્થિરતા તજી શરીરને વાણી તથા ચિત્તની. ૫
આત્માનન્દ અપૂર્વ અમૃતરસે, ન્હાઈ થશું નિર્મળા,
ને સંસાર સમુદ્રના વમળથી ક્યારે થશું વેગળા. ૬
ક્યારે ગિરિગુફા પવિત્ર શિખરે જઈ શાન્તવૃત્તિ સજી,
સિદ્ધોના ગુણનો વિચાર કરશું મિથ્યા વિકલ્પો તજી. ૭
વાસી ચંદન કલ્પ થઈ પરિસહો સર્વે સહીશું મુદા,
આવી શાંત થશે અહો મુજ કને શત્રુ સમૂહો કદા. ૮
શ્રેણી ક્ષીણ કષાયની ગ્રહી અને ઘાતી હણીશું કદા,
પામી કેવલજ્ઞાન નિજસ્વરૂપનો સ્વાદ લઈશું સદા. ૯
ધારી યોગ નિરોધ કોણ સમયે સિદ્ધ સ્વરૂપે થશું,
એવી નિર્મલ ભાવના પ્રણયથી ભાવું સદા ચિત્તમાં. ૧૦
❑
૨૦૨ ][ શ્રી જિનેન્દ્ર