એવાં ગાઢ કુકર્મ હે જિનપતે, છેદાય છે આપથી;
જે શાન્તિ નવ થાય ચંદન થકી તે શાન્તિ આપો મને,
વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી નિત્યે નમું આપને.
તેવી રીતે વિમલજિનના ધ્યાનથી નષ્ટ થાય;
પાપો જૂનાં બહુ ભવ તણાં, અજ્ઞતાથી કરેલાં,
તે માટે હે જિન તુજ પદે પંડિતો છે નમેલા.
ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ
નિત્યે મારા હૃદયકમલે આવજો શ્રી અનંત.
તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર;