જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં આપી મહા મંત્રને;
કીધો શ્રી ધરણેન્દ્ર ને ભવ થકી તાર્યા ઘણા ભવ્યને,
આપો પાર્શ્વજિનેન્દ્ર નાશરહિતા સેવા તમારી મને.
મારા ચિત્તચકોરને જિન તમે છો પૂર્ણ ચંદ્ર પ્રભુ;
પામ્યો છું પશુતા તજી સુરપણું હું આપના ધર્મથી,
રક્ષો શ્રી મહાવીરદેવ મુજને પાપી મહા કર્મથી.
શુભ લગનેજી જ્યોતિષ ચક્ર તે સંચરે;
જિન જનમ્યાજી જેણે અવસર માતા ધરે,
તેણે અવસરજી ઇંદ્રાસન પણ થરહરે.