આવ્યા પછી તો જાયવું રે લાલ,
તુજ ગુણ વશ્યે ન સોહાય રે......
જિનેશ્વર મોરા, તુજ વિરહો કેમ વેઠીયે રે લાલ. ૩
ન મળ્યાનો ધોખો નહીં રે લાલ,
જસ ગુણનું નહિ નાણ રે જિને૦
મિળિયા ગુણ કળિયા પછી રે લાલ,
વિછુરત જાએ પ્રાણ રે જિને૦ તુ૦ ૪
જાતિ અંધને દુઃખ નહીં રે લાલ,
ન લહે નયનનો સ્વાદ રે જિને૦
નયણ સવાદ લહી કરી રે લાલ,
હાર્યાને વિખવાદ રે જિને૦ તુ૦ ૫
બીજે પણ ક્યાંહિ નવિ ગમે રે લાલ,
જિણે તુજ વિરહે બચાય રે જિનેશ્વર મોરા;
માલતી કુસુમે મ્હાલીયો રે લાલ,
મધુપ કરીરે ન જાય રે. જિને૦ તુજ વિ૦ ૬
વન દવ દાધાં રૂખડાં રે લાલ,
પાલ્હવે વળી વરસાત રે જિનેશ્વર મોરા;
તુજ વિરહાનળના દહ્યા રે લાલ,
કાળ અનંત ગમાત રે જિને૦ તુજ વિ૦ ૭
ટાઢક રહે તુજ સંગમાં રે લાલ,
આકુળતા મિટી જાય રે જિનેશ્વર મોરા;
૨૬૨ ][ શ્રી જિનેન્દ્ર