જે અજ્ઞાની તુમ મત સરીખો, પરમતનેં કરી જાણેજી;
કહો કુણ અમૃત ને વિષ સરીખું, મંદમતિ વિણ જાણેજી. વ૦ ૩
જે તુમ આગમરસ સુધારસે, સીંચ્યો શીતલ થાયજી;
તાસ જનમ સુકૃતારથ જાણો, સુર નર તસ ગુણ ગાયજી. વ૦ ૪
સાહિબ તુમ પદપંકજ સેવા, નિત નિત એહિ જ યાચુંજી;
શ્રી વર્દ્ધમાન ચરણને સેવી, પ્રભુને ધ્યાને માચુંજી. વ૦ ૫
❐
શ્રી અજિતનાથ જિન – સ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડી – રાગ)
અજિત જિનેસર ઇકમના૧, મેં કીધી હો તુમ સું એ તાર કે;
ત્રિવિધ કરિ તુજને ગ્રહ્યો, મેં જાણી હો સંસારમાં સાર કે.
અજિત જિનેસર૦ ૧
મોટાની મહેનતે કિયાં, સહી હોવે હો કાંઈ મોટી મોજ કે;
આતમ મુજ પવિત્ર હુવે, દેખતાં હો આવઈ દરસણ રોજ કે.
અજિત જિનેસર૦ ૨
સદગુરુના ઉપદેશથી, છે તારક હો ઇમ સુણીયો કાન કે;
તેં તારક બહુ તારીયા, કરજોડી હો કરૂં અરજ તું માન કે.
અજિત જિનેસર૦ ૩
૧. એક મનથી
૨૭૦ ][ શ્રી જિનેન્દ્ર