સનસુખ સ્વરૂપ તેરા હો, ઉસ પર નિગાહ મેરા હો;
સંસારસે નિવૃત્ત હો, આત્મા ચમનસે નિકલે.
ભગવન્૦ ૫
❐
શ્રી સીમંધર ભગવાન – સ્તવન
(ગાજે પાટણપુરમાં – એ રાગ)
સુંદર સ્વર્ણપુરીમાં સ્વર્ણ – રવિ આજે ઊગ્યો રે,
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર,
શ્રી સીમંધર પ્રભુજી પધાર્યા છે અમ આંગણે રે.......૧
(વસંતતિલકા)
નિર્મૂળ મોહ કરીને પ્રભુ નિર્વિકારી,
છે દ્રવ્યભાવ સહુના પરિપૂર્ણ સાક્ષી;
કોટિ સુધાંશુ કરતાં વધુ આત્મશાન્તિ,
કોટિ રવીંદ્ર કરતાં વધુ જ્ઞાનજ્યોતિ.
જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે,
જેની ભક્તિથી ચારિત્રવિમળતા થાય,
એવા ચૈતન્યમૂર્તિ પ્રભુજી અહો ! અમ આંગણે રે. સુંદર૦ ૨
‘સદ્ધર્મવૃદ્ધિ વર્તો’ જયનાદ બોલ્યા,
શ્રી કુન્દના વિરહતાપ પ્રભુ નિવાર્યા;
સપ્તાહ એક વરસી અદ્ભુત ધારા,
શ્રી કુન્દકુન્દ હૃદયે પરિતોષ પામ્યા.
સ્તવન મંજરી ][ ૨૯૭