Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 20 of 438
PDF/HTML Page 38 of 456

 

background image
જે છે નમ્યા ભયદ રોગ જલોદરેથી,
પામ્યા દશા દુઃખદ આશન દેહ તેથી;
ત્વત્પાદ-પદ્મ રજ અમૃત નિજ દેહે,
ચોળે બને મનુજ કામ સમાન રૂપે. ૪૫
બેડી જડી પગથી છેક ગળા સુધીની,
તેની ઝીણી અણિથી જાંગ ઘસાય જેની;
એવા અહોનિશ જપે તુજ નામ મંત્ર,
તો તે જનો તુરત થાય રહિત બંધ. ૪૬
જે મત્ત હસ્તિ, અહિ, સિંહ, દવાનલાગ્નિ,
સંગ્રામ, સાગર, જલોદર, બંધનોથી;
પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે,
ત્હારું કરે સ્તવન આ મતિમાન પાઠે. ૪૭
આ સ્તોત્રમાળ તુજના ગુણથી ગુંથી મેં;
ભક્તિ થકી વિવિધ વર્ણરૂપી જ પુષ્પે;
તેને જિનેંદ્ર! જન જે નિત કંઠ નામે,
તે ‘માનતુંગ’ અવશા શુભ લક્ષ્મી પામે. ૪૮
❏ ❏ ❏
શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર
(શ્રી કુમુદચન્દ્ર સ્વામી રચિત પાર્શ્વનાથસ્તુતિનો ગુજરાતી અનુવાદ)
(મંદાક્રાંતા)
કલ્યાણોના સદન વળી જે પાપભેદી ઉદાર,
તે ભીતોને અભયપ્રદ જે જે અનિન્દિત સાર;
૨૦ ][ શ્રી જિનેન્દ્ર