Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 21 of 438
PDF/HTML Page 39 of 456

 

background image
જન્માબ્ધિમાં ડુબત સઘળાં જંતુને નાવ છે જે,
જિનેંદાનાં ચરણકમળો એહવા વંદીને તે.
જેના મોટા મહિમ-જલધિ કેરું સુસ્તોત્ર અત્ર,
સુમેધાવી સુરગુરુ સ્વયં ગુંથવા નાંહિ શક્ત;
જે તીર્થેશા કમઠ-મદને ધૂમકેતુ જગીશ,
એવા તેનું સ્તવન વર આ નિશ્ચયે હું કરીશ. (યુગ્મ).
સામાન્યેથી પણ સ્વરૂપ તો વર્ણવા તારું અત્ર,
કેવી રીતે અમ સરિખડા નાથ હે! થાય શક્ત?
ધીઠો તોયે ઘુવડ શિશુ રે! દિવસે આંધળો જે,
શું ભાનુનું સ્વરૂપ પ્રરૂપે નિશ્ચયે એહવો તે?
હે જિનેંદા! અનુભવ કરે મોહવિનાશ દ્વારા,
તોયે મર્ત્યો સમરથ નથી ગુણવા ગુણ ત્હારા;
કલ્પાંતે જ્યાં નીરનિધિ તણું નીર નિશ્ચે વમાય,
કોનાથી ત્યાં પ્રકટ પણ રે! રત્નરાશિ પમાય?
સંખ્યાતીતા મહદ ગુણની ખાણ એવા તમારું,
સ્તોત્ર સ્વામી! જડમતિ છતાં ગુંથવા બુદ્ધિ ધારું!
ભાખે ના શું શિશુય જલધિ કેરી વિસ્તિર્ણતાને,
‘હ્યાં વિસ્તારી સ્વભુજયુગને નિજ બુદ્ધિ પ્રમાણે!
યોગીઓને પણ તુજ ગુણો ગમ્ય જે હોય નાંહિ,
તે કહેવામાં ક્યમ પ્રસર રે! માહરો થાય આંહી!
સ્તવન મંજરી ][ ૨૧