તેથી આ તો થઈ વગર વિચારી પ્રવૃત્તિ આહા!
વા જલ્પે છે ખણગણ ખરે! નિજ કેરી ગિરામાં. ૬
દૂરે તારું સ્તવ જિન! અચિંત્ય પ્રભાવી રહોને!
રક્ષે નામે પણ તમ તણું જન્મથી ભુવનોને;
વાયુ રૂડો કમલસરનો સુરસીલો વહે જે,
તીવ્રોત્તાપે હત પથિકને ગ્રીષ્મમાં રીઝવે તે. ૭
પ્રાણીઓના નિબિડ પણ તે કર્મબંધો અહા! હ્યાં,
વિભુ થાયે શિથિલ ક્ષણમાં વર્તતાં તું હૃદામાં;
રે! શિખંડી સુખડવનની મધ્યમાં આવી જાતાં,
જેવી રીતે ભુજગમય તે શીઘ્ર શિથિલ થાતાં. ૮
મૂકાયે છે મનુજ સહસા રૌદ્ર ઉપદ્રવોથી,
અત્રે સ્વામી! જિનપતિ! તને માત્ર નિરીક્ષવાથી;
ગોસ્વામીને સ્ફુરિત પ્રભને માત્ર અત્રે દીઠાથી,
જેવી રીતે ઝટ પશુગણો ભાગતા ચોરટાથી. ૯
કેવી રીતે ભવિજન તણો જિન! તું તારનાર?
ધારે તેઓ હૃદમહિં તને ઊતરે જેથી પાર;
વા એહી જે મશક તરતી નીરને નક્કી સાવ,
છે તે અંતર્ગત મરુતનો નિશ્ચયે જ પ્રભાવ. ૧૦
❐
૨૨ ][ શ્રી જિનેન્દ્ર