સ્યાદ્વાદ-અંકિત શાસ્ત્રો મહા રે,
સમયસાર પ્રવચનસાર....જિનવાણી૦ ૨
સર્વાંગેથી દિવ્યધ્વનિ ખીરતી રે,
જેમાં આશય અનંત સમાય...જિનવાણી૦ ૩
સુવિમલ વાણી વીતરાગની રે,
દર્શાવે શુદ્ધાત્મ સાર....જિનવાણી૦ ૪
શુદ્ધામૃત પૂરિત સરિતા વહે રે,
વહે પૂર અનાદિ – અનંત.....જિનવાણી૦ ૫
માત રત્નત્રયી દાતાર છો રે,
તું છો ભવસાગરની નાવ....જિનવાણી૦ ૬
શિવમાર્ગ – પ્રકાશ ભારતી રે,
કરે કેવળજ્ઞાન વિકાસ....જિનવાણી૦ ૭
ખોલ્યાં રહસ્ય જિનવાણી માતનાં રે,
ગુરુ કહાન વરતાવે જયકાર.....જિનવાણી૦ ૮
❋
શ્રી જિનવાણી – સ્તવન
(જ્યોતિ ભક્તિની જગાવ – એ દેશી)
જય જય મંગલકારી મહાન, પ્રાતઃ પ્રણમું હે જગમાત!
તું પરમ જ્ઞાન સુઝાવે, ભવતાપોનાં દુઃખ બુઝાવે,
સુરનર પૂજિત તારાં પાદ.......પ્રાતઃ૦ ૧
સ્તવન મંજરી ][ ૭૧