‘जत्थेक्कु मरदि जीवो तत्थ दु मरणं हवे अणंताणं ।
चंकमइ जत्थ एक्को चंकमणं तत्थ णंताणं ।।
(ગોમ્મટ૦ જીવ૦ ગા૦ ૧૯૩)
यत्र एकः म्रियते जीवः तत्र तु मरणं भवेत् अनन्तानाम् ।
चंक्रमति यत्र एकः चंक्रमणं तत्र अनन्तानाम् ।।
અર્થઃ — જ્યાં એક સાધારણ નિગોદ જીવ ઊપજે ત્યાં તેની સાથે
જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદ જીવ મરે ત્યાં તેની સાથે જ
અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.
ભાવાર્થઃ — એક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો
આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો
શ્વાસોચ્છ્શ્વાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા
એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ
સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.
હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છેઃ —
ण य जेसिं पडिखलणं पुढवीतोएहिं अग्गिवाएहिं ।
ते जाण सुहुमकाया इयरा पुण थूलकाया य ।।१२७।।
न च येषां प्रतिस्खलनं पृथ्वीतोयाभ्याम् अग्निवाताभ्याम् ।
ते जानीहि सूक्ष्मकायाः इतरे पुनः स्थूलकायाः च ।।१२७।।
અર્થઃ — જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા
નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને
બાદર જાણવા.
હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છેઃ —
पचेया वि य दुविहा णिगोदसहिदा तहेव रहिया य ।
दुविहा होंति तसा वि य वितिचउरक्खा तहेव पंचक्खा ।।१२८।।
૭૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા