Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 127-128.

< Previous Page   Next Page >


Page 76 of 297
PDF/HTML Page 100 of 321

 

background image
‘जत्थेक्कु मरदि जीवो तत्थ दु मरणं हवे अणंताणं
चंकमइ जत्थ एक्को चंकमणं तत्थ णंताणं ।।
(ગોમ્મટ૦ જીવ૦ ગા૦ ૧૯૩)
यत्र एकः म्रियते जीवः तत्र तु मरणं भवेत् अनन्तानाम्
चंक्रमति यत्र एकः चंक्रमणं तत्र अनन्तानाम् ।।
અર્થઃજ્યાં એક સાધારણ નિગોદ જીવ ઊપજે ત્યાં તેની સાથે
જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદ જીવ મરે ત્યાં તેની સાથે જ
અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.
ભાવાર્થઃએક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો
આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો
શ્વાસોચ્છ્શ્વાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા
એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ
સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.
હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છેઃ
ण य जेसिं पडिखलणं पुढवीतोएहिं अग्गिवाएहिं
ते जाण सुहुमकाया इयरा पुण थूलकाया य ।।१२७।।
न च येषां प्रतिस्खलनं पृथ्वीतोयाभ्याम् अग्निवाताभ्याम्
ते जानीहि सूक्ष्मकायाः इतरे पुनः स्थूलकायाः च ।।१२७।।
અર્થઃજે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા
નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને
બાદર જાણવા.
હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છેઃ
पचेया वि य दुविहा णिगोदसहिदा तहेव रहिया य
दुविहा होंति तसा वि य वितिचउरक्खा तहेव पंचक्खा ।।१२८।।
૭૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા