प्रत्येकाः अपि च द्विविधाः निगोदसहिताः तथैव रहिताः च ।
द्विविधाः भवन्ति त्रसाः अपि च द्वित्रिचतुरक्षाः तथैव पञ्चाक्षाः ।।१२८।।
અર્થઃ — પ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત
છે તથા નિગોદ રહિત પણ છે. વળી ત્રસ પણ બે પ્રકારના છે. બે
ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રસ)
તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રસ) છે.
ભાવાર્થઃ — જે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ
છે તેને સપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે; તથા જેના આશ્રયે નિગોદ
નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ
કહેવામાં આવે છે. વળી બે ઇન્દ્રિયાદિકને ત્રસ કહેવામાં આવે છે.❃
ગોમ્મટસારમાં કહ્યું છે કે —
❃मूलग्गपोरबीजा कंदा तह खंदबीज बीजरुहा ।
सम्मुच्छिमा य भणिया पत्तेयाणंतकाया य ।।
(ગો. જી. ગા. ૧૮૫)
मूलाग्रपर्वबीजाः कन्दाः तथा स्कन्धबीजाः बीजरुहाः ।
सम्मूर्च्छनाः च भणिताः प्रत्येकाः अनन्तकायाः च ।।
અર્થઃ — જે વનસ્પતિ મૂળ, અગ્ર, પર્વ, કંદ, સ્કંધ તથા બીજથી ઉત્પન્ન
થાય છે તથા જે સંમૂર્ચ્છન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને
પ્રકારની હોય છે.
ભાવાર્થઃ — ઘણીખરી વનસ્પતિઓ મૂળથી ઉત્પન્ન થાય છે; જેમ કે
અદરક – હળદી વગેરે વગેરે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે; જેમકે
ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પર્વથી થાય છે; જેમ કે ઇક્ષુ – વેંત આદિ. કોઈ
વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સૂરણ વગેરે. કોઈ વનસ્પતિ સ્કંધથી ઉત્પન્ન
થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે
ચણા – ઘઉં વગેરે, કોઈ વનસ્પતિ પૃથ્વી-જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે
અને તે સંમૂર્ચ્છન છે; જેમ કે ઘાસ વગેરે. આ બધી વનસ્પતિ સપ્રતિષ્ઠિત તથા
અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૭