લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — પ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત છે તથા નિગોદ રહિત પણ છે. વળી ત્રસ પણ બે પ્રકારના છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રસ) તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રસ) છે.
ભાવાર્થઃ — જે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ છે તેને સપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે; તથા જેના આશ્રયે નિગોદ નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે. વળી બે ઇન્દ્રિયાદિકને ત્રસ કહેવામાં આવે છે.❃ ગોમ્મટસારમાં કહ્યું છે કે —
થાય છે તથા જે સંમૂર્ચ્છન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
અદરક – હળદી વગેરે વગેરે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે; જેમકે ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પર્વથી થાય છે; જેમ કે ઇક્ષુ – વેંત આદિ. કોઈ વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સૂરણ વગેરે. કોઈ વનસ્પતિ સ્કંધથી ઉત્પન્ન થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે ચણા – ઘઉં વગેરે, કોઈ વનસ્પતિ પૃથ્વી-જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે અને તે સંમૂર્ચ્છન છે; જેમ કે ઘાસ વગેરે. આ બધી વનસ્પતિ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.