લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તો બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છે, તથા પાંચમી વનસ્પતિ છે તે પ્રત્યેક અને સાધારણ – એવા ભેદથી બે પ્રકારની છે.
હવે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છેઃ —
અર્થઃ — સાધારણ જીવો બે પ્રકારના છેઃ અનદિકાલીન એટલે નિત્યનિગોદ તથા સદિકાલીન એટલે ઇતરનિગોદ. એ બંને બાદર પણ છે તથા સૂક્ષ્મ પણ છેઃ બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ બધા બાદર જ છે.
ભાવાર્થઃ — પૂર્વે કહેલા જે છ પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી, જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કહ્યા, તથા નિત્યનિગોદ અને ઇતરનિગોદ એ બંને — એ પ્રમાણે છ પ્રકારના તો સૂક્ષ્મ જાણવા. વળી છ પ્રકાર એ કહ્યા, (તે સિવાય) બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા.
હવે સાધારણનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે અનંતાનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છ્વાસ, કાય અને આયુ સાધારણ એટલે સમાન છે તે બધા સાધારણ જીવ છે.
વળી ગોમ્મટસારમાં કહ્યું છે કે —