Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 125-126.

< Previous Page   Next Page >


Page 75 of 297
PDF/HTML Page 99 of 321

 

background image
અર્થઃપૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તો બાદર પણ
છે તથા સૂક્ષ્મ પણ છે, તથા પાંચમી વનસ્પતિ છે તે પ્રત્યેક અને
સાધારણ
એવા ભેદથી બે પ્રકારની છે.
હવે સાધારણ અને પ્રત્યેકના સૂક્ષ્મપણાને કહે છેઃ
साहारणा वि दुविहा अणाइकाला य साइकाला य
ते वि य बादरसुहुमा सेसा पुण बायरा सव्वे ।।१२५।।
साधारणाः अपि द्विविधाः अनादिकालाः च सादिकालाः च
ते अपि च बादरसूक्ष्माः शेषाः पुनः बादराः सर्वे ।।१२५।।
અર્થઃસાધારણ જીવો બે પ્રકારના છેઃ અનાદિકાલીન એટલે
નિત્યનિગોદ તથા સાદિકાલીન એટલે ઇતરનિગોદ. એ બંને બાદર પણ
છે તથા સૂક્ષ્મ પણ છેઃ બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ
બધા બાદર જ છે.
ભાવાર્થઃપૂર્વે કહેલા જે છ પ્રકારના સૂક્ષ્મ જીવો છે તે પૃથ્વી,
જળ, તેજ અને વાયુ તો પહેલી ગાથામાં કહ્યા, તથા નિત્યનિગોદ અને
ઇતરનિગોદ એ બંને
એ પ્રમાણે છ પ્રકારના તો સૂક્ષ્મ જાણવા. વળી
છ પ્રકાર એ કહ્યા, (તે સિવાય) બાકીના રહ્યા તે સર્વ બાદર જાણવા.
હવે સાધારણનું સ્વરૂપ કહે છેઃ
साहारणाणि जेसिं आहारुस्सासकायआऊणि
ते साहारणजीवा णताणंतप्पमाणाणं ।।१२६।।
साधारणानि येषां आहारोच्छ्वासकायआयूंषि
ते साधारणजीवाः अनन्तानन्तप्रमाणानाम् ।।१२६।।
અર્થઃજે અનંતાનંત પ્રમાણ જીવોને આહાર, ઉચ્છ્વાસ, કાય
અને આયુ સાધારણ એટલે સમાન છે તે બધા સાધારણ જીવ છે.
વળી ગોમ્મટસારમાં કહ્યું છે કે
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૫