एकेन्द्रियैः भृतः पंचप्रकारैः सर्वतः लोकः ।
त्रसनाडयां अपि त्रसा न बाह्याः भवन्ति सर्वत्र ।।१२२।।
અર્થઃ — આ લોક પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ
— એ પાંચ પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો તેનાથી
સર્વત્ર ભરેલો છે; વળી ત્રસ જીવો ત્રસનાડીમાં જ છે – બહાર નથી.
ભાવાર્થઃ — સમાન પરિણામની અપેક્ષાએ ઉપયોગ લક્ષણવાન
જીવદ્રવ્ય સામાન્યપણે એક છે તોપણ વસ્તુ (જીવો) ભિન્નપ્રદેશપણાથી
પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે
તે તો સર્વલોકમાં છે તથા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને
પંચેન્દ્રિય ત્રસ જીવો છે તે ત્રસનાડીમાં જ છે.
હવે બાદર-સૂક્ષ્માદિ ભેદ કહે છેઃ —
पुण्णा वि अपुण्णा वि य थूला जीवा हवंति साहारा ।
छविहसुहुमा जीवा लोयायासे वि सव्वत्थ ।।१२३।।
पूर्णाः अपि अपूर्णाः अपि च स्थूलाः जीवाः भवन्ति साधाराः ।
षड्विधसूक्ष्माः जीवाः लोकाकाशे अपि सर्वत्र ।।१२३।।
અર્થઃ — જે જીવ આધાર સહિત છે તે તો સ્થૂળ એટલે
બાદર છે, અને તે પર્યાપ્ત છે તથા અપર્યાપ્ત પણ છે; તથા જે
લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે. તેના
છ પ્રકાર છે.
હવે બાદર તથા સૂક્ષ્મ કોણ કોણ છે તે કહે છેઃ —
पुढवीजलग्गिवाऊ चत्तारि वि होंति बायरा सुहुमा ।
साहारणपत्तेया वणप्फ दी पंचमा दुविहा ।।१२४।।
पृथ्वीजलाग्निवायवः चत्वारः अपि भवन्ति बादराः सूक्ष्माः ।
साधारणप्रत्येकाः वनस्पतयः पंचमाः द्विविधाः ।।१२४।।
૭૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા