(ગુણતાં) ઓગણસીતેર (૬૯) ભેદ થયા. એ પ્રમાણે સર્વ મળી પંચાશી
(૮૫) ભેદ છે.
વળી ભોગભૂમિના થલચરસંજ્ઞી તથા નભચરસંજ્ઞી આઠે ભેદ પર્યાપ્ત
અને અપર્યાપ્ત ભેદથી સોળ ભેદ થયા; સમ્મૂર્ચ્છનના પૃથ્વી, અપ્,
તેજ, વાયુ, નિત્યનિગોદ, ઇતરનિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર
મળી બાર (૧૨) ભેદ તથા વનસ્પતિના સપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત
એ બંને મળી ૧૪ ચૌદ તો એકેન્દ્રિયના ભેદ થયા, વિકલત્રયના ત્રણ
અને કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંજ્ઞિજલચર, અસંજ્ઞિજલચર,
સંજ્ઞિથલચર, અસંજ્ઞિથલચર, સંજ્ઞિનભચર તથા અસંજ્ઞિનભચર એ છ
ભેદ, એ પ્રમાણે બધા મળી તેવીસ ભેદ થયા. તે બધા પર્યાપ્ત,
અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્ત ભેદ કરી ગણતાં (૬૯) ઓગણસીતેર
ભેદ થયા. એ પ્રમાણે પ્રથમના સોળ અને આ ઓગણસીતેર મળી
પંચાશી (૮૫)
નિર્વૃત્તિ-અપર્યાપ્તથી આઠ પ્રકાર થયા.